Navratri 2023: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનો વિશેષ મહિમા છે. આ વર્ષે 15મી ઓક્ટોબર અને રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિતૃપક્ષ પછી આવતી આ નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કળશ કે ગરબાની સ્થાપના માટેનો શુભ સમય


આ પણ વાંચો:


14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ, લીંબુના આ ટોટકા કારર્કિદીમાં અપાવશે સફળતા, પિતૃ થશે શાંત


 


Lizard Falls: શરીરના આ અંગ પર ગરોળીનું પડવું ગણાય છે અશુભ, થાય છે ધન હાનિ


Rahu Gochar 2023: રાહુના રાશિ પરિવર્તન પછી શરુ થશે શુભ સમય, નોકરીમાં પ્રમોશન પાક્કુ


ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે ઘરમાં ગરબા કે કલશની સ્થાપના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ વખતે નવરાત્રિમાં ગરબાની સ્થાપના માટેનો શુભ સમય 15 ઓક્ટોબરે સવારે 11:44 થી બપોરે 12:30 સુધીનો છે. એટલે કે રવિવાર કળશ સ્થાપના માટે માત્ર 46 મિનિટનો શુભ સમય છે.  


કયા દિવસે માતાના કયા સ્વરુપની પૂજા કરવી ?


15 ઓક્ટોબર 2023: મા શૈલપુત્રી 
16 ઓક્ટોબર 2023: મા બ્રહ્મચારિણી 
17 ઓક્ટોબર 2023: મા ચંદ્રઘંટા 
18 ઓક્ટોબર 2023: મા કુષ્માંડા 
19 ઓક્ટોબર 2023: મા સ્કંદમાતા  
20 ઓક્ટોબર 2023: મા કાત્યાયની  
21 ઓક્ટોબર 2023: મા કાલરાત્રી 
22 ઓક્ટોબર 2023: મા મહાગૌરી  
23 ઓક્ટોબર 2023: મહાનવમી  
24 ઓક્ટોબર 2023: વિસર્જન 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)