Religious News : મન હોય તો માળવે જવાય. જોશ હોઈ તો ઉંમર પણ ઝાંખી લાગે અને એમાં જો ભક્તિનો રંગ લાગ્યો હોઈ તો તો પછી એમા કંઈજ કહેવાનું ન રહે. વાત છે 77 વર્ષના અડીખમ અને સાહસિક એવા દાદાની, જે આજે યુવાનોને પણ શરમાવી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 29 માં વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા છે. એ પણ ચાલતા ચાલતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંભાળિયામાં સફેદ વાળ અને દાઢી હોઈ એટલે ગિરુભાબાપુ 77 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનુંન કોઈ થાક નહીં કોઈ આળસ નહીં યુવાનો ને થકવી દે તેવા જુસ્સા સાથે તેઓ 77 વર્ષની ઉંમરે પણ ક્રિકેટ રમતા યુવાનો સાથે દેખાય છે. મા આશાપુરમાં અનન્ય શ્રધ્ધા સાથે તેઓ જામખંભાળિયાથી કચ્છ જતા માતાનામઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શને જવા નીકળ્યા છે.


ભક્તિમાં શક્તિ : શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી અને ઉલટા પગે ચાલતો નીકળ્યો યુવક


માતાના મઢ સુધી પગપાળા જવાનું આ તેમનું 29 મું વર્ષ છે. 450 કિમીની યાત્રા તેઓ માત્ર 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે. 450 કિમીનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે. ગીરૂભા જાડેજા 77 વર્ષીય ક્ષત્રિય આગેવાન છે, જેઓ છેલ્લા 29 વર્ષ પગપાળા યાત્રા કરે છે. આ વર્ષમાં સતત ચાલતા પદયાત્રાની શરૂઆત શ્રી ખામનાથ મહાદેવના મંદિર અને માં આશાપુરાના દર્શન કરી આજે પદયાત્રા માટે યુવાનો સાથે માતાના મઢે જવા પ્રયાણ કર્યું. 


ગિરુભાની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપુત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા મિત્રો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. 


ગુજરાતના અચ્છે દિન : અહી રોજ હજારો ભૂખ્યા શ્રમિકો 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમે છે