નવી દિલ્હીઃ જ્યોતિષના અનુસાર જ્યારે કુંડળીમાં ગુરુની સાથે અન્ય ગ્રહો મજબૂત સ્થિતિમાં હોય ત્યારે સુકર્મા યોગ બને છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં સુકર્મા યોગ બને તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ યોગથી સુખ-સુવિધા, ધન-ઐશ્વર્ય વધશે એવું માનવામં આવે છે. આ યોગ બનતા શારીરિક, તર્ક, પરાક્રમ અને સાહસમાં વધારો થાય છે. જોઈએ આ યોગના કારણે કોને લાભ થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ-
અકારણ વિવાદની સંભાવના છે. મોડું કરવાના કારણે કેટલાક કામ બગડી શકે છે. સ્વભાવ ચીડિયો થઈ શકે છે. ૐ ધૃણી સૂર્યાય નમઃનો જાપ કરો. ગોળ, ઘઉંનું દાન કરો.


વૃષભ રાશિ-
કેટલીક ખાસ ઉપલબ્ધિઓ સંભવ છે. સંબંધો માટે આ સમય અનુકૂળ છે. શરદી કે કફની ફરિયાદ રહી શકે છે. શાંતિ માટે ૐ નમઃ શિવાયનો જાપ કરો અને દૂધ, ચોખાનું દાન કરો.


મિથુન રાશિ-
કામનો બોજ વધશે. પારિવારિક કાર્ય માટે પરેશાન થવું પડી શકે. વાહનનું સમારકામ કરાવવું પડી શકે. મંગળના દોષોને દૂર કરવા ૐ અં અંગારકાય નમઃનો જાપ કરો. મસૂરની દાળ, ગોળનું દાન કરો.


કર્ક રાશિ-
તમને ભેટ મળી શકે છે. આજનો દિવસ સારો રહેશે. ગુરુ ગ્રહ સંબંધિત ઉપાય માટે ૐ ગુરુવે નમઃનો જાપ કરો. પીળી વસ્તુઓનું દાન કરો.


સિંહ રાશિ-
આર્થિક પરેશાની વધી શકે કારણ કે તમને ખર્ચ વધુ થશે. યાત્રાનો યોગ છે. આખો દિવસ વ્યસ્ત રહેશો. ઉપાય માટે ૐ શુક્રાય નમઃનો જાપ કરો. ચોખા, દૂધ, દહીનું દાન કરો.


કન્યા રાશિ-
અભ્યાસમાં એકાગ્રતાની કમી રહેશે. નિયમિતતા અને અનુશાસનમાં કઠોરતાનો સામનો કરવો પડી શકે. ઉપાય માટે ૐ શં શનૈશ્ચરાય નમઃની એક માળા જપીને દિવસની શરૂઆત કરો. અડદની દાળ કે તલનું દાન કરો.


તુલા રાશિ-
સીનિયર સાથે વિવાદ થઈ સકે છે. તાલમેળમાં તકલીફ પડી શકે છે. માનસિક તણાવ રહી શકે છે. છૂટકારો પામવા માટે ૐ નમઃ શિવયાનો જાપ કરી દૂધ, ચોખાનું દાન કરો.


વૃશ્ચિક રાશિ-
પ્રવાસનો યોગ બને છે. સંતાન સંબંધી મોટો નિર્ણય લેવો પડી શકે છે. જૂની બીમારીથી કષ્ટ થઈ શકે. ૐ ધૃણિ સૂર્યાય નમઃનો પાઠ કરો. ગોળ, ઘઉંનું દાન કરો.


ધન રાશિ-
પારિવારિક સુખ મળી શકે. ઉત્સાહ અને સુખમાં વૃદ્ધિ થઈ શકે. કષ્ટોના નિવારણ માટે ૐ અં અંગારકાય નમઃનો જાપ કરો. મસૂરની દાળ, ગોળનું દાન કરો.


મકર રાશિ-
મનમાં એકાગ્રતા અને ધાર્મિક કાર્યમાં મનોબળ વધવાના યોગ છે. સારા પરિણામો માટે ૐ ગુ ગુરુવે નમઃનો જાપ કરો. પીળી વસ્તુઓનું દાન કરો


કુંભ રાશિ-
ધાર્મિક યાત્રા અને નવા વાહનનું સુખ મળવાના યોગ છે. આનંદમયી રીતે સમય પસાર કરશો. ઉપાય માટે ૐ શું શુક્રાય નમઃનો જાપ કરો. ચોખા, દૂધ, દહીંનું દાન કરો.


મીન રાશિ-
પાર્ટનરશીમાં સંબંધોમાં અંતર આવી શકે. કામમાં અચાનક વિઘ્ન આવી શકે. જીવસાથી સાથે વિવાદ થઈ શકે. શાંતિ માટે ૐ શં શનૈશ્ચરાય નમઃની એક માળા દિવસની શરૂઆતમાં કરો. અડદ કે તલનું કાન કરો.


(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)