Trigrahi Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઘણીવાર એવું થાય છે કે કોઈ ગ્રહ રાશિ બદલે છે ત્યારે અન્ય ગ્રહ સાથે તેની યુતિ સર્જાય છે. બે ગ્રહોની યુતિના કારણે શુભ અને અશુભ યોગ સર્જાતા હોય છે. જેમ કે હાલ સર્જાયેલો ત્રિગ્રહી યોગ. આ યોગનું નિર્માણ 25 જુલાઈ ના રોજ બુધ ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશથી થયું છે. સિંહ રાશિમાં શુક્ર અને મંગળ પહેલાથી જ ગોચર કરે છે. જેના કારણે  ત્રિગ્રહી યોગ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિમાં સર્જાયેલા ત્રિગ્રહી યોગના કારણે 12 રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો થશે. આ યોગ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ લોકોને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. 


ત્રિગ્રહી યોગથી આ રાશિઓને થશે ફાયદો


આ પણ વાંચો:


Palmistry: જેની હથેળીમાં આ જગ્યાએ હોય આવી રેખા તે 30 વર્ષ સુધીમાં બને છે કરોડપતિ


Lal Kitab: અચૂક છે લાલ કિતાબના આ 8 ટોટકા, કરવામાં છે સરળ અને અસર કરે છે તુરંત


શુભ-અશુભ ઘટનાઓ અંગે સંકેત કરે છે ગરોળી, જાણો ગરોળી સંબંધિત 11 શુકન-અપશુકન વિશે


સિંહ રાશિ 


બુધ, શુક્ર અને મંગળનો સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. સિંહ રાશિના લોકોને તેનાથી સૌથી વધુ ફાયદો થશે. આ રાશિના લોકોને પૈસા અને પદ મળી શકે છે. તેમના જીવનમાં ખુશીઓ આવશે. નવું વાહન કે મિલકત ખરીદી શકો છો. નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે.  


તુલા રાશિ 


ત્રિગ્રહી યોગ તુલા રાશિના લોકોને લાભ કરાવશે. આવકમાં વધારો થશે. ક્યાંકથી અચાનક પૈસા મળશે. આવક વધવાથી બેંક બેલેન્સ વધશે. પાર્ટનરશીપમાં વેપાર કરનારાઓને મોટો ફાયદો થશે. ધંધામાં નફામાં વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.


કુંભ રાશિ


ત્રિગ્રહી યોગના કારણે કુંભ રાશિના લોકોને મોટો લાભ થશે. અચાનક ધન મળી શકે છે. આવક વધી શકે છે. નાણાકીય સ્થિતિમાં રાહત મળશે. ભાગીદારીના કામમાં ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે. કાર્યસ્થળ પર કામ સારું ચાલશે. તમારા કામની પ્રશંસા થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)