ભારતીય લોકોના રસોડામાં આવી અનેક વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષી ઉપાયો માટે થાય છે. આવી જ એક વસ્તુ છે નાની ઈલાયચી. નાની ઈલાયચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચા સહિત અનેક વાનગીનો સ્વાદ વધારતી ઈલાયચી તમારા નસીબને પણ બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા, રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની ઈલાયચી ભોજનને સ્વાદ તો આપે છે. પરંતુ જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. નાની ઈલાયચીની મદદથી જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ ઓછી કરી શકાય છે. ઈલાયચીના કેટલાક ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઈલાયચીથી તમારું નસીબ બદલી શકો છો અને સફળતા મેળવી શકો છો.


ધન પ્રાપ્તિ માટે ઈલાયચીનો ઉપાય
જો તમે આર્થિક તંગીથી કંટાળેલા છો. રૂપિયા મળે છે પણ તમારી સાથે રહેતા નથી. તેથી તમારા પાકિટમાં અથવા જ્યાં પણ રૂપિયા રાખો ત્યાં 5 લીલી ઈલાયચી રાખો. આમ કરવાથી આવક વધે છે અને ખર્ચા ઓછા થાય છે. 


દરીદ્રતા દૂર કરવાનો ઉપાય
દરીદ્રતા દૂર કરવા માટે કોઈ ગરીબ, અસહાય વ્યક્તિને એક સિક્કાનું દાન કરો અને તેને લીલી ઈલાયચી પણ ખવડાવો. એવું કહેવાય છે કે આ નિયમિત કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.


નોકરીમાં પદોન્નતિનો ઉપાય
જો તમે નોકરીમાં પ્રમોશન ઈચ્છતા હોવ તો લીલા કપડામાં ઈલાયચી બાંધીને રાત્રે ઓશિકા નીચે રાખો.પછી સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિને આપી દો. તેનાથી તમને પ્રમોશન મળી શકે છે.


શુક્ર ગ્રહને મજબૂત કરવાનો ઉપાય
જો તમારો શુક્ર નબળો હોય તો બે ઈલાયચીને એક ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધી ના થઈ જાય. હવે તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન માટે ઉપયોગ કરો. સ્નાન કરતી વખતે 'ઓમ જયંતિ મંગળા કાલી ભદ્રકાળી' મંત્રનો જાપ કરો, આનાથી તમે શુક્ર ગ્રહને મજબૂત બનાવી શકો છો.


જલ્દી લગ્ન માટે
જો તમે લગ્ન કરવા ઈચ્છો છો અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે ગુરુ મંદિરમાં બે લીલી ઈલાયચી સાથે પાંચ પ્રકારની મીઠાઈ ચઢાવો. આનાથી સારા સંબંધો જલ્દી બનશે. 


પરીક્ષામાં સફળતા માટે
પરીક્ષામાં સફળતા મેળવવા માટે શુક્લ પક્ષના પહેલા ગુરુવારે સૂર્યાસ્તના અડધા કલાક પહેલા પાંચ પ્રકારની મીઠાઈઓ અને બે નાની એલચી પીપળાના ઝાડ નીચે ભક્તિ ભાવથી રાખો. પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના પણ કરો. આ ઉપાય સતત 3 ગુરુવાર સુધી કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે. (પરીક્ષામાં પાસ થવા માટે અભ્યાસ કરવાનું ચુકશો નહીં).