Mangalwar Upay: હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આ દિવસનો સંબંધ મંગળ ગ્રહ સાથે પણ છે. મંગળવારે ભક્તો બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે. આ દિવસે શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો


કુંડળીમાં જો સાહસ અને પરાક્રમનો ગ્રહ મંગળ નબળી સ્થિતિમાં હોય તો પણ મંગળવારે કેટલાક ઉપાયો કરવાના હોય છે. મંગળવારના આ સરળ ઉપાયો કરી લેવાથી તમામ સમસ્યા, કષ્ટ અને સંકટથી મુક્તિ મળી જાય છે. મંગળવારના આ ઉપાય જીવનને સુખમયી બનાવે છે. તો ચાલો તમને જણાવીએ મંગળવારના એવા સરળ ઉપાયો વિશે જે જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે 


મંગળવારના અચૂક ઉપાય 


આ પણ વાંચો: Weekly Horoscope: 3 જૂન થી 9 જૂન સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે લાભકારી જાણો


- જો વારંવાર આર્થિક નુકસાન થતું હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો કરો. ત્યાર પછી હનુમાનજીના મંત્ર ઓમ હં હનુમતે નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. દર મંગળવારે આ કામ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે 


- જો વેપારમાં વારંવાર સમસ્યા આવતી હોય તો મંગળવારના દિવસે નાડાછડી  હનુમાનજીના મંદિરમાં હનુમાનજીના ચરણોમાં રાખી દો. ત્યાર પછી હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈ માથા પર તિલક કરો. ત્યાર પછી હનુમાનજીના ચરણોમાં રાખેલી નાડાછડીમાંથી એક ટુકડો લઈ હાથમાં બાંધી લો. બાકીની નડાછડી મંદિરમાં જ રહેવા દો. આ કામ કરવાથી તમારા કામમાં ગતિ આવશે અને સફળતા મળશે 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય


- ખરાબ નજરથી બચવા માટે મંગળવારના દિવસે માટીનું વાસણ લેવું અને તેમાં મધ ઉમેરી તેને કપડાંથી ઢાંકી દો. ત્યાર પછી હનુમાનજીના મંદિરમાં જઈને આ વાસણને રાખી દો. આમ કરવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે. 


- દરેક કાર્યમાં સફળતા મેળવવી હોય તો મંગળવારના દિવસે સફેદ કોરું કાગળ દેવું. એક વાટકીમાં ચમેલીનું તેલ અને સિંદૂર મિક્સ કરી સફેદ કાગળ પર આ સિંદૂર વડે 21 વખત રામ નામ લખો. ત્યાર પછી કાગળને સુકવીને પોતાના પર્સમાં રાખો. 


આ પણ વાંચો: સપનામાં ઘોડાનું દેખાવું ખાસ સંકેત, જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર શું થાય આ સપનાનો અર્થ


- જો મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો. સાથે જ મંગળવારે દેવી માતાની પણ પૂજા કરો. મંગળવારે ચોખાથી હવન કરવાથી પણ જીવનમાં સફળતા અને ધન વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)