Vastu Tips: લોકોને ઘરની આસપાસ વૃક્ષો અને છોડ લગાવવા ગમે છે. આ જ કારણથી ઘર બનાવતી વખતે લોકો આસપાસ અનેક પ્રકારના વૃક્ષો વાવે છે, જેથી પર્યાવરણ સુંદર અને સ્વચ્છ રહે. પરંતુ શું તમે જાણો છો કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જેને ઘરમા ન વાવમાં જોઈએ. જો આ વૃક્ષો કે છોડ તમે તમારા ઘરમા વાવો તો તમે કંગાળ થઈ શકો છો..  તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ઘરમાં વૃક્ષ-છોડ લગાવવા અશુભ કેમ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂલથી પણ ઘરના બગીચામાં આવા વૃક્ષો અને છોડ ન લગાવો


1. બોરડી
ઘરના બગીચામાં ક્યારેય પણ બોરડીનું ઝાડ ન લગાવો. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે, તેને લગાવવાથી તમારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.



2. ગુલર
ઘરની આજુબાજુ ગુલરનું ઝાડ ન લગાવો. તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને આંખના રોગ થવાની સંભાવના રહે છે.



3. પીપળો
પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેને ઓક્સિજનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જો તમે આ વૃક્ષ તમારા ઘરની આસપાસ લગાવો છો તો તે વિનાશક સાબિત થાય છે. જો તમારે પીપળની ખરાબીથી બચવું હોય તો ઝાડની ચારે બાજુ દીવાલ બનાવવી જોઈએ અને દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવો જોઈએ.



આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ


4. પાકડ
પાકડનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવું જોઈએ. તેનાથી ઉંમર ઓછી થાય છે.



5. ખજૂર
ઘરની નજીક ખજુરનું ઝાડ ક્યારેય ન લગાવો. તેના કારણે હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે.



6. ફણસ
ફણસનું ઝાડ પણ ન લગાવવું જોઈએ, તેને લગાવવાથી પરિવારમાં અંતર વધે છે, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.



આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube