Fitkari ke Upay in Hindi : વાસ્તુ દોષની નકારાત્મક અસર આપણા ખુશહાલ જીવનમાં ઝેર ઘોળી નાખે છે. ઘરનું વાસ્તુ દોષ ઘરના સભ્યોને ધીરે ધીરે રોગી અને તેમને આર્થિક તંગી પરેશાન કરવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં વાસ્તુ દોષથી છૂટકારો મેળવવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. જેમાંથી એક ઉપાય ફટકડીનો જણાવાયો છે. અનેક રીતે તે ઉપાય અજમાવવાથી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. ઘરના વાસ્તુ દોષ, કરજ મુક્તિ, ધનલાભ અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ફટકડીથી કરાયેલા અનેક ઉપાય લાભદાયક છે. જાણો આ ઉપાયો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફટકડીના ઉપાય...
- જો તમારા ઘરે વાસ્તુ સંબંધિત સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે ફટકડીનો ટુકડા લઈ તેને ઘરના દરેક રૂમ કે ખૂણામાં રાખી દો. જ્યાં કોઈની નજર જલદી ન પડે તેવી જગ્યાએ મૂકો. જેનાથી વિભિન્ન વાસ્તુ દોષથી થનારી પરેશાનીઓથી છૂટકારો મળશે અને તમારા ઘરમાં સુખ શાંતિ સાથે ધન સંપત્તિમાં વધારો થશે. 


- આ સિવાય જો સૂતા પહેલા કાળા કપડાંમાં ફટકડી બાંધીને પલંગમાં તકિયા નીચે રાખશો તો ખરાબ સપના નહીં આવે અને અજાણ્યા ભયથી મુક્તિ મળશે. 


- ધન લાભ માટે ફટકડીનો ઉપાય કારગર બની શકે છે. આ માટે પોતું કરતી વખતે ફટકડીનો ઉપયોગ કરો. આ સાથે ક્યારેક ક્યારેક ન્હાવાના પાણીમાં પણ ફટકડી નાખી શકો છો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)