Vastu Tips:  ઘણાં એવા લોકો છે જેના જીવનમાં ઘણી બધી તકલીફ હોય છે. કંઈ પણ કામ કરવા જાય તો તેમાં પણ અવરોધ ઉભો થતો હોય છે. માણસમાં પોઝિટિવીટી અને નેગેટિવિટી ખૂબ જ અસર કરે છે. આ તમામ ઉર્જાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે જેની અસર ઘરમાં પડે છે. જો લાખો પ્રયત્નો પછી પણ તમને જીવનમાં સફળતા નથી મળી રહી અથવા તમારા કામમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે, તો તમે વાસ્તુશાસ્ત્રની કેટલીક ખાસ ટિપ્સ અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- મગ દાળ
મંગળવારે રાત્રે ઓશિકા નીચે મગની દાળને લીલા રંગના કપડામાં બાંધીને ઓશિકા નીચે મૂકીને સૂઈ જાઓ. સવારે ઉઠ્યા પછી મગની દાળ કોઈ છોકરીને આપો અથવા મંદિરમાં દેવી દુર્ગાના ચરણોમાં રાખો. આમ કરવાથી બુધની અશુભ અસર દૂર થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે. આ ઉપાયથી પતિ-પત્નીના સંબંધો પણ મધુર બને છે.


2- લોખંડની ગોળી
જો તમને રાત્રે ખરાબ સપના આવે છે તો તમારા ઓશીકા નીચે લોખંડની ગોળી રાખો. જો લોખંડની ગોળીઓ ઉપલબ્ધ ન હોય, તો તમે તેના બદલે લોખંડની ચાવી અથવા નાની કાતર રાખી શકો છો. તેનાથી રાહુ, કેતુની ખરાબ અસર દૂર થાય છે અને જીવનમાંથી હકારાત્મકતા આવે છે.


આ પણ વાંચો : 


આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી


બજેટ વચ્ચે મોટા સમાચાર, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ


3- ગીતા અથવા સુંદરકાંડ
સૂતી વખતે તકિયાની નીચે ગીતા અથવા સુંદરકાંડને રાખવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી મન શાંત રહે છે અને વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુના આ ઉપાયો કરવાથી દિવસભર તાજગી જળવાઈ રહે છે અને તમે કાર્યસ્થળમાં વધુ સારું પ્રદર્શન કરી શકાય છે.


4- મૂળો
રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મૂળો રાખીને સૂવું સારું માનવામાં આવે છે. સવારે મંદિરમાં જઈને શિવલિંગ પર આ મૂળા ચઢાવવાથી રાહુના દોષ દૂર થાય છે. આ ઉપાયથી કામમાં વારંવાર આવતી અડચણો દૂર થાય છે.


5- સિંદૂર
સોમવારે ઓશિકા નીચે સિંદૂરનું નાનું બોક્સ રાખીને સૂવું ફાયદાકારક છે. બીજા દિવસે આ સિંદૂર હનુમાનજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી અશુભ મંગળની અસર દૂર થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે.


આ પણ વાંચો : 


ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે


રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ