મુંબઈઃ સૂર્ય કુમાર યાદવ (Suryakumar Yadav) ને મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ (MI vs GT)વચ્ચે રમાયેલી આઈપીએલ 2023 (IPL 2023) ના મુકાબલામાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 49 બોલમાં સૂર્યાએ 103 રનની તોફાની ઈનિંગ રમી હતી. પરંતુ ત્યારબાદ વિવાદ થઈ ગયો. સોશિયલ મીડિયા પર એક જૂથનું કહેવું હતું કે આ એવોર્ડ રાશિદ ખાનને મળવો જોઈએ. ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ 4 વિકેટ લેવાની સાથે 32 બોલ પર અણનમ 79 રન ફટકાર્યા હતા. તેની ટીમ ભલે મેચ 27 રનથી હારી હોય પરંતુ રાશિદના પ્રદર્શનની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. 


કોણ નક્કી કરે છે મેન ઓફ ધ મેચ?
સૂર્યકુમાર યાદવની જગ્યાએ રાશિદ ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવાની માંગ કરનારા લોકોની સંખ્યા વધુ છે. તેમાં એક નામ ભારતીય ટીમના પૂર્વ બેટર એસ બદ્રીનાતનું પણ છે. તેણે ટ્વિટર પર લખ્યુ- રાશિદ ખાન મારા માટે મેન ઓફ ધ મેચ છે. આ સીઝનમાં ઘણીવાર હારનારી ટીમના ખેલાડીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળી ચુક્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube