સિડનીઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (India vs Australia) પ્રથમ એકદિવસીય મુકાબલો શુક્રવારે સિડનીમાં રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યુ કે, રોહિત શર્મા (Rohit Sharma Injury)ની ઈજાને લઈને ભ્રમની સ્થિતિમાં છે અને તેની પાસે ઈજાની સ્થિતિને લઈને સંપૂર્ણ સૂચના નથી. તેણે સાથે કહ્યું કે, તેને ખ્યાલ નથી કે બાકી ટીમની સાથે રોહિત ઓસ્ટ્રેલિયા કેમ ન આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીનો જવાબ
કોહલીએ કહ્યુ, 'પસંદગી સમિતિની બેઠક પહેલા અમને ઈ-મેલ મળ્યો હતો કે તે ઉપલબ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું કે, તેને આઈપીએલ દરમિયાન ઈજા થઈ. તેમાં કહેવામાં આવ્યું કે, તેને ઈજા સંબંધિત જાણકારીઓ આપવામાં આવી છે અને તે સમજવામાં આવ્યું કે, તે ઉપલબ્ધ રહેશે નહીં.'


AUS vs IND 1st ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની ગેરહાજરીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કોણ મજબૂત  

હોટલ પહોંચી ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમ શહેરના બહારના ભાગમાં 14 દિવસનો ક્વોરેન્ટાઈન પૂરો કર્યા બાદ ગુરૂવારે અહીં નવી હોટલમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનો ભાગ બની ગઈ. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત શુક્રવારે વનડે મુકાબલાની સાથે કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર