નવી દિલ્હી: કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ. તાજા જાણકારી અનુસાર આ મેગા ટૂર્નાર્મેંટના આયોજનથી બીસીસીઆઇ (BCCI)ને જોરદાર ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ યૂએઇમાં આયોજિત આ ટૂર્નામેંટથી લગભગ 4 હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ સાથે જ ટીવી દર્શકોની સંખ્યામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આઇપીએલમાં 1800 લોકોના લગભગ 20 હજાર આરટી-પીસીઆર કોવિડ ટેસ્ટ  (RT-PCR Covid tests)કરવામાં આવ્યા. જેથી તમામ 60 મેચ વિના કોઇ પરેશાની આયોજિત થઇ શકી. 


કોરોના વાયરસ (Coronavirus)ના લીધે દુબઇ (Dubai)માં સરકારે 7 દિવસના કોરોન્ટાઇન બાદ ટ્રેનિંગની પરવાનગી આપી હતી. પરંતુ અબુધાબી (Abu Dhabi)માં 14 દિવસોના કોરોન્ટાઇન અનિવાર્ય હતું. આ વેન્યૂને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians)અને કલકત્તા નાઇટરાઇડર્સ (Kolkata Knight Riders)ના હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. બીસીસીઆઇએ અબુધાબી વહિવટીતંત્ર સાથે વાત કરી આ કોરોન્ટાઇન પીરિયડને ઓછો કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube