ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.


સુરતી કાકાના પિટારામાંથી ખૂલ્યો શાહજહાનો ભૂતકાળ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામનો આભાર
જાફરે પોતાના પોતાના નિવેદનમાં કહ્યં કે, સૌથી પહેલા તો હું અલ્લાહનો આભાર કરીશ કે તેણે મને આ શાનદાર રમત રમવા માટે પ્રતિભા આપી. હું મારા પરિવારજનો, મારા માતાપિતા અને ભાઈઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેઓએ મને આ રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યાં. હું મારી પત્નીનો આભાર વ્યક્ત કરવા માંગીશ, જેણે મારું ઘર વસાવવા અને મારા બાળકો માટે ઈંગ્લેન્ડની આરામદાયક જિંદગી છોડી દીધી. મારા તમામ પ્રશિક્ષકોનો વિશેષ આભાર. સિલેક્શનકર્તાઓનો ભારે હૃદયથી આભાર વ્યક્ત કરું છું, જેઓએ મારા પર ભરોસો વ્યક્ત કર્યો.


હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી

રણજી ટ્રોફીમાં દમદાર રેકોર્ડ
જાફેર 2006માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હુતં. તેમણે પોતાની પહેલી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ 2006માં રમી હતી. જાફર માત્ર બે વનડે રમ્યા હતા, જેમાં દસ રન બનાવ્યા હતા. જોકે, ઘરેલુ ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફીમાં તેમના પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...