ઈન્દોરઃ ઈન્દોર ટેસ્ટમાં (Indore Test) ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને (IND vs BAN) માત્ર ત્રણ દિવસમાં હરાવી દીધું હતું. ત્યારબાગ ટીમ કોલકત્તામાં (Kolkata test) રમાનારી બીજી ટેસ્ટની તૈયારી માટે અહીં રોકાઇ હતી. તેવામાં કોચ રવિ શાસ્ત્રી (ravi shastri) અને સપોર્ટ સ્ટાફે ઉજ્જૈનમાં સ્થિત ભગવાન મહાકાલના મંદિરમાં (mahakaleshwar mandir) મહાકાલેશ્વર પહોંચીને પૂજા કરી હતી. આ ઘટનાની તસવીર કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube