નવી દિલ્હી: ટી નટરાજન (T Natarajan)એ અત્યાર સુધી તેમની શાનદાર રમતને કારણે ક્રિકેટ ફેન્સનું દિલ જીત્યુ છે. તેમણે આ સ્થાન પર પહોંચવા માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. નટરાજને આઇપીએલ (IPL)માં શાનદાર બોલિંગ, પછી ઓસ્ટ્રેલિયાની સામે વન ડે અને ટી-20 સિરીઝમાં ધમાકેદાર બોલિંગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પિતા બન્યો Umesh Yadav, પત્ની તાન્યાએ પુત્રીને આપ્યો જન્મ; શેર કરી Cute તસવીર


ટી નટરાજન (T Natarajan)ને ઓસ્ટ્રેલિયા (Australia)માં સીમિત ઓવરની સિરીઝમાં સારૂં પ્રદર્શન કરવા ઇનામ મળ્યું. ઉમેશ યાદવ (Umesh Yadav)ના ઈજાગ્રસ્ત થવા પર તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ (RP Singh)એ નટરાજનની ગૌરવમાં અધ્યયન વાંચ્યા છે.


આ પણ વાંચો:- ICC Decade Award: બેન સ્ટોક્સને પસંદ ન આવી કેપ, આઈસીસીએ કહ્યું Sorry Ben Stokes


આરપી સિંહ (RP Singh)એ ટ્વિટર પર લખ્યું, નટરાજનની સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે? મને ટી નટરાજન કરતા સારી પ્રેરણાદાયક કહાની યાદ નથી. નેટ બોલરથી લઈને સફેદ બોલ પ્લેયર અને હવે ટેસ્ટ ટીમમાં. હું ઇચ્છું છું કે આઈપીએલથી ચાલી રહેલા તેમના ઉત્કૃષ્ટ ફોર્મ ચાલુ રહે. શું આ શરૂઆત છે.


Year Ender 2020: ભારતે આ વર્ષે જીતી એક ટેસ્ટ મેચ, આ ખેલાડીએ ફટકારી એકમાત્ર સદી


જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે નટરાજન સિડની ટેસ્ટ (Sydney Test)માં રમશે કે નહીં. કેમ કે, ક્રિકેટ એક્સપર્ટનું માનવું છે કે, શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ને પ્રથમ શ્રેણીમાં રમવાનો વધારે અનુભવ છે. એવામાં ઠાકુરને ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઈંગ XIમાં સામેલ કરવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube