નાગપુરઃ ભારતમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તૈયાર છે. નાગપુર ટેસ્ટ પહેલા પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિત અને ડેવિડ વોર્નર સહિત ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું માનવું છે કે આ દેશમાં સિરીઝમાં જીત એશિઝ જીતવાથી મોટી સિદ્ધિ છે. બંને દેશો વચ્ચે ચાર મેચોની સિરીઝનો પ્રારંભ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં થશે. 'ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ' પર જારી વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ભારતના પ્રવાસ પર પડકાર વિશે વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં સ્મિથે કહ્યું- સિરીઝની વાત છોડો, ભારતમાં ટેસ્ટ જીતવી પણ પડકારજનક છે. જો અમે તેમ કરવામાં સફળ રહીએ તો ખુબ મોટી વાત હશે. મને લાગે છે કે જો તમે ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતો તો તે એશિઝ જીતથી મોટી સફળતા છે. 


રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી છીનવતા જ બરબાદ થઈ જશે આ 4 ખેલાડીઓની કારકિર્દી!


સ્ટાર્ક અને તેનો કેપ્ટન પેટ કમિન્સ ભારતમાં અને આ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડમાં એશિઝ જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્ટાર્કે કહ્યું- જો અમે ભારતના પ્રવાસ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પર એશિઝમાં જીત મેળવીએ તો આ શાનદાર સિદ્ધિ હશે. કમિન્સે કહ્યુ- ભારતમાં સિરીઝ જીતવી ઈંગ્લેન્ડમાં એશિઝ જીતવા સમાન છે. હું પરંતુ તેને એશિઝથી મોટી સિદ્ધિ માનીશ. જો અમે અહીં જીતીએ તો તે કરિયરની મોટી સિદ્ધિ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube