શારજાહઃ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે સેમીફાઈનલની આટલી નજીક આવ્યા બાદ પણ ભારત મહિલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નીકળી જશે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ભારતને છેલ્લા 5 બોલમાં 13 રનની જરૂર હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ફિફ્ટી બનાવીને રમી રહી હતી. 5 વિકેટ હાથમાં હતી. પરંતુ એનાબેલ સધરલેન્ડે ભારત પાસેથી આ મેચ છીનવી લીધી. તેણે છેલ્લા 5 બોલમાં 4 બેટ્સમેનોને આઉટ કરીને પોતાની ટીમને આશ્ચર્યજનક જીત અપાવી હતી. ચાલો જાણીએ મેચની હાઈલાઈટ્સ અને છેલ્લી ઓવરમાં શું થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 5 વિકેટે 138 રન બનાવ્યા હતા. તે સમયે ક્રિઝ પર હરમનપ્રીત કૌર 52 રન અને પૂજા વસ્ત્રાકર 9 રન સાથે રમી રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી છેલ્લી ઓવર એનાબેલ સધરલેન્ડે ફેંકી હતી.


ભારતની ઇનિંગ્સની 20મી ઓવર, બોલર એનાબેલ સધરલેન્ડ


હરમનપ્રીત કૌરે લોન્ગોનમાં પહેલો બોલ રમીને એક રન લીધો હતો.


બીજા બોલ પર પૂજા વસ્ત્રાકર ફુલ ટોસ બોલ પર બોલ્ડ થઈ. પૂજાએ પહેલેથી રૂમ બનાવીને શોટ રમવાની તૈયારી કરી હતી, છેલ્લી ક્ષણે તે બોલની લાઇન ચૂકી ગઈ અને આઉટ થઈ ગઈ


ત્રીજો બોલ : લેગ સાઇડ પર ફુલ લેન્થ બોલ. અરુંધતી રેડ્ડી ચૂકી ગઈ. હરમનપ્રીત કૌરે રન માટે દોડાવી  તે ક્રીઝ પર પહોંચી પરંતુ અરંધતી રન આઉટ થઈ ગઈ હતી.


હરમનપ્રીત કૌર ચોથો બોલ ફુલ લેન્થ બોલ મિડઓફમાં જ રમી શકી હતી. એક રન આવ્યો અને તે સામા છેડે જતી રહી.


પાંચમો બોલ (વાઇડ) વાઇડ બોલ પર મોટો ડ્રામા થયો. હરમનપ્રીત કૌર રન લેવા માંગતી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનો વચ્ચે મિસ કોમ્યુનિકેશન સર્જાયું અને શ્રેયંકા પાટિલ રનઆઉટ થઈને પેવેલિયન જતી રહી.


રાધા યાદવ પાંચમા બોલ પર ફુલ લેન્થ બોલની લાઇન ચૂકી ગઈ અને LBW જાહેર થઈ.


છઠ્ઠા બોલ પર રેણુકા સિંહે ડીપ સ્ક્વેર લેગ તરફ શોર્ટ લેન્થ બોલ રમીને રન લીધો હતો.


આ પણ વાંચોઃ હવે તો નિવૃત્તિ લેવી જ પડશે! આ 4 ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો થઈ ગયો બંધ


આ રીતે ભારતે છેલ્લી ઓવરમાં જેટલા રન બનાવ્યા હતા એટલી જ વિકેટ ગુમાવી હતી. સમગ્ર ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 47 બોલમાં 54 રન બનાવીને અણનમ રહી હતી. જો કે આ હાર છતાં ભારત સેમીફાઈનલમાં પહોંચી શકે છે. પરંતુ હવે તેનો ડાયરેક્ટ રોલ પૂરો થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે ભારત તેની ચારેય ગ્રુપ મેચ રમી ચૂક્યું છે. હવે આ ગ્રુપમાં માત્ર એક મેચ બાકી છે. આ મેચ પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ છે. ભારતની જેમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને સેમિફાઇનલની રેસમાં છે. આમાંથી કોઈપણ ટીમ સેમીફાઈનલ રમી શકે છે અને બધું ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન મેચના પરિણામ પર નક્કી થશે.


જો પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે તો તેને 4 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના સમાન 4-4 પોઈન્ટ હશે. પછી નેટ રન રેટ નિર્ણાયક ભૂમિકા ભજવશે. હાલમાં ભારતનો નેટ રન રેટ 0.322 અને ન્યુઝીલેન્ડનો 0.282 છે. પાકિસ્તાનનો નેટ રન રેટ નકારાત્મક (−0.488) છે. એટલે કે પાકિસ્તાન આ મેચ 53 રનથી જીતશે તો જ સેમીફાઈનલમાં પહોંચશે. જો તે આથી ઓછા માર્જિનથી જીતશે તો તેને 4 પોઈન્ટ મળશે, પરંતુ નેટ રન રેટમાં તે ભારતથી પાછળ રહેશે.