સાઉથમ્પ્ટનઃ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ગુરૂવારે સ્વીકાર કર્યો કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final) ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સારી ટીમ હતી. ભારતે ખરાબ બેટિંગ બાદ ફાઇનલમાં આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો, આ સાથે વિરાટ કોહલીની ટીમ એકવાર ફરી મોટું ટાઇટલ જીતવાની નજીક પહોંચી ચુકી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીની આગેવાનીમાં ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું કોઈ ટાઈટલ જીતી શક્યું નથી. ફાઇનલમાં ભારતીય બન્ને ઈનિંગમાં 217 અને 170 રન બનાવી શકી. 


WTC Final: સચિન તેંડુલકરે શોધ્યુ ભારતની હારનું કારણ, આ કારણે ચુકી ગઈ ટીમ ઈન્ડિયા


બુધવાર પહેલા ન્યૂઝીલેન્ડે પોતાનું એકમાત્ર આઈસીસી ટાઇટલ 2000માં જીત્યુ હતું. ન્યૂઝીલેન્ડની ટીમ આ પહેલા 2015 અને 2019ના વિશ્વકપ ફાઇનલમાં હારી હતી. ફાઇનલ મુકાબલે પહેલા ભારતીય કોચ શાસ્ત્રીએ સૂચન કર્યુ હતું કે ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બેસ્ટ ઓફ થ્રી મેચોની સિરીઝ હોવી જોઈએ. બુધવારે કોહલીએ પણ આ સૂચનનું સમર્થન કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube