નવી દિલ્હી: IPL 2021 માં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારબાદ હવે આ ટુર્નામેન્ટ પર રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિકેટર્સ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે આજે સાંજે પ્રસ્તાવિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ હાલ ટાળવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયો બબલમાં મોટી બેદરકારી
લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર્સને હાલ ક્વોરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. આ બંને 30 વર્ષના છે. આ બંનેમાંથી વોરિયરને હાલની સીઝનમાં અત્યાર સુધી કેકેઆરની સાત મેચોમાંથી એક પણ મેચ રમવાની તક મળી નથી. કેકેઆરએ પોતાની ગત મેચ 29 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી અને પોઝિટિવ પરિણામો આવ્યા બાદ ટુર્નામેન્ટમાં ગભરાહટની સ્થિતિ થઈ શકે છે. મળતી માહિતી મુજબ બાયો બબલમાં બેદરકારીના કારણે આવું બન્યું છે. પોઝિટિવ આવેલા બંને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણની જાણ થતા બેંગલુરુની ટીમમાં પણ ચિંતા હતી અને તેઓ મેચ રમવા માટે બહુ ઉત્સુક નહતા. 


ચક્રવર્તીથી થઈ મોટી ભૂલ
ચક્રવર્તી ગુરુવારે મેચ બાદ ખભાના સ્કેન માટે હોસ્પિટલ ગયો હતો. ત્યારબાદ વાયરસના ઝપેટમાં આવ્યો. ટુર્નામેન્ટ વચ્ચે કોઈ ખેલાડી કે સહયોગી સ્ટાફની વ્યક્તિ પોઝિટિવ આવ્યાનો આ પહેલો મામલો છે. ભારતમાં રોજેરોજ કોરોના સંક્રમણના દૈનિક ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 3000થી વધુ લોકોના રોજેરોજ મોત થઈ રહ્યા છે. આવામાં આ નાનકડી ભૂલ ટુર્નામેન્ટને રદ કરાવી શકે છે. 


IPL 2021: આઈપીએલ પણ વાયરસની ઝપેટમાં, કોલકાતાની ટીમના બે ખેલાડી કોરોના પોઝિટિવ, KKR-RCB વચ્ચેની આજની મેચ રદ


Video: ક્રિકેટ ઈતિહાસની સૌથી અનોખી ઘટના, બેટ્સમેને શોટ મારતાની સાથે જ કંઈક એવું થયું....


Covid 19 વિરુદ્ધ જંગમાં ભારતની મદદે આવ્યું Cricket Australia, આટલા રૂપિયા દાન કર્યા


Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube