IPL 2023, KKR vs RCB: ભારતીય ખેલાડીની IPL કારકિર્દી હવે સમાપ્ત થઈ રહી હોય તેવું લાગે છે. આ ખેલાડીએ જે રીતે તકોનો વ્યય કર્યો છે તે જોતા તેને આ ટી-20 લીગમાં ફરીથી રમવાની તક મળે તે અસંભવ છે. આ ખેલાડીએ IPLમાં ઘણી તકો વેડફી નાખી છે. મોટાભાગના ક્રિકેટ ચાહકોને આ ખેલાડીને IPL રમતા જોવાનું પસંદ નથી. આઈપીએલ 2023 સીઝન સાથે, માનવામાં આવે છે કે આ ખેલાડીની કારકિર્દી ખતમ થઈ જશે. આગામી IPL સિઝનમાં કોઈ ટીમ આ ખેલાડીને કિંમત પણ નહીં આપે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભારતીય ખેલાડીની IPL કરિયર ખતમ!


કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આઈપીએલની આ સિઝનમાં 50 લાખ રૂપિયા ખર્ચીને આત્મવિશ્વાસપૂર્વક મનદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો, પરંતુ તે ફ્લોપ સાબિત થયો છે. IPL 2023માં ઓપનિંગ કરતી વખતે, પંજાબ કિંગ્સ સામે રમાયેલી પ્રથમ IPL મેચમાં મનદીપ સિંહ 2 રન બનાવીને આઉટ થયો હતો. ખરાબ ફોર્મના કારણે મનદીપ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં ઓપનિંગ કરવાની તક આપવામાં આવી ન હતી. આ મેચમાં મનદીપ સિંહ 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તે ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો.


આ પણ વાંચો:
ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં અપાયું ટ્રાન્સફર
મોંઘવારીથી મોટી રાહત! ઘટશે CNG-PNG ના ભાવ, જાણો સરકારે શું નિર્ણય લીધો
શાર્દુલ બાદ સ્પીનર્સે પણ કર્યો જબરદસ્ત કમાલ, KKR એ RCB ને ધૂળ ચટાડી


તકોની બરબાદી 


આઈપીએલમાં મનદીપ સિંહનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. મનદીપ સિંહ IPLની દરેક સિઝનમાં સતત તકો વેડફી રહ્યો છે અને હવે IPLની આ સિઝનમાં પણ તે પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ટીકાકારોના નિશાના પર છે. મનદીપ સિંહે આઈપીએલની 110 મેચોમાં 20.91ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. મનદીપ સિંહે આ દરમિયાન માત્ર 6 અડધી સદી ફટકારી છે. IPLમાં મનદીપ સિંહનો સર્વોચ્ચ સ્કોર 77 રન છે. IPLના ઈતિહાસમાં મનદીપ સિંહ એકમાત્ર એવો બેટ્સમેન છે જે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયો છે.


IPLમાં ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો


ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં મનદીપ સિંહ શૂન્ય પર આઉટ થયો હતો. મનદીપ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ બોલ્ડ કર્યો હતો અને શૂન્યના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. મનદીપ સિંહ આઈપીએલ ઈતિહાસમાં મનદીપ સિંહ આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય સ્કોર પર આઉટ થનાર ખેલાડી બની ગયો છે. આ 15મી વખત છે જ્યારે મનદીપ સિંહ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો છે. આ મામલે તેણે દિનેશ કાર્તિક અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે. IPLમાં દિનેશ કાર્તિક અને રોહિત શર્મા 14-14 વખત શૂન્ય પર આઉટ થયા છે.


આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube