નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ના આયોજન પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે દેશમાં આટલી ખરાબ સ્થિતિ છે તેવા સમયમાં આટલી મોંઘી લીગનું આયોજન યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ટૂર્નામેન્ટમાંથી હટી રહ્યાં છે. એન્ડ્રૂ ટાયે તો કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની એટલી કમી છે તેવા સમયે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ પૈસા વાપસી રહી છે. તો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પણ દરરોજ પોતાના ખેલાડીઓ પાસેથી અપડેટ લઈ રહ્યું છે. આ વચ્ચે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વોને આઈપીએલ ચાલુ રાખવાની વકાલત કરી છે. વોનનુ કહેવુ છે કે આ તણાવપૂર્ણ સમયમાં આઈપીએલ કરોડો લોકો માટે ખુશીનું એક સાધન બને છે. 


Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

શું કહ્યુ ટાયે
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે આઈપીએલ 2021 વચ્ચે છોડીને ઓસ્ટ્રેલિયા રવાના થનાર રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એન્ડ્રૂ ટાયે કહ્ કે, જ્યારે દેશમાં આટલી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે ત્યારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર આટલી મોટી રકમ ખર્ચ કરી રહી છે. 
 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube