કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા લગાવવામાં આવેલા બે વર્ષના પ્રતિબંધને રમતની ભલાઈ માટે સ્વીકાર કરે છે. આઈસીસીએ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આઈસીસીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાએ આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી એકમની બે કલમના ઉલ્લંઘન કરવાનો દોષિ ઠેરવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ જયસૂર્યા દ્વારા જાહેર કરાયેલા નિવેદનના હવાલાથી લખ્યું છે, મને જે સજા આપવામાં આવી છે, તેને હું ક્રિકેટ પ્રત્યે પ્રેમને ખાતર, તેની ભલાઈ અને ઈમાનદારીને બનારી રાખવા માટે સ્વીકાર કરુ છું. જયસૂર્યા પર લાગેલો પ્રતિબંધ શ્રીલંકામાં એસીયૂના ભ્રષ્ટાચાર વિરોધી તપાસનો એક ભાગ છે. એસીયૂએ હાલમાં શ્રીલંકન ક્રિકેટના સંબંધમાં એક માફી યોજનાનું આયોજન કર્યું હતું, જેના પરિણામસ્વરૂપ 11 ખેલાડી સામે આવ્યા હતા. 



આઈસીસીએ સનથ જયસૂર્યા પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ


જયસૂર્યાને જે બે કલમોના ઉલ્લંઘનનો દોષિ ઠેરવવામાં આવ્યો છે, તેમાંથી એક તપાસમાં સહયોગ ન કરવા અને બીજી જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન કરાવવા છે. શ્રીલંકા પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ જયસૂર્યાએ કહ્યું, એસીયૂ દ્વારા આપવામાં આવેલી સજા મારા દ્વારા સમય પર માગ ન પૂરી કરવાને કારણે આપવામાં આવી છે, જેમાં મેં તપાસમાં સહયોગ ન કર્યો અને એસીયૂ દ્વારા માંગવા પર મારા સિમ કાર્ડ તથા આઈફોન તુરંત તેને પરત ન કર્યા. તે સાફ છે કે, મારા પર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને આંતરીક જાણકારીનો ખોટ્ટો ઉપયોગ કરવાનો આરોપ નથી. 



જયસૂર્યાએ પરંતુ ઘણા સમય બાદ સિમ કાર્ડ અને આઈફોન એસીયૂને આપી દીધા હતા. તેણે કહ્યું, તેણે ફરી તે વાત કરતા કહ્યું કે, મેં મારા ક્રિકેટ કરિયરમાં હંમેશા રમતની ઈમાનદારીને બનાવી રાખી છે. મેં હંમેશા દેશને પહેલા રાખ્યો છે અને ક્રિકેટને પસંદ કરનારી જનતા આ વાતની સાક્ષી છે. આ પ્રતિબંધ બાદ હવે તે 2021 સુધી ક્રિકેટ સાથે જોડાયેલી કોઈપણ ગતિવિધિમાં ભાગ લઈ શકશે નહીં.