નવી દિલ્હીઃ મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે કપિવ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમને છાતીમાં દુખાવો થયા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતન શર્માએ હોસ્પિટલના ડોક્ટર અતુલ માથુરની સાથે કપિલની એક તસવીર પોસ્ટ કરી છે. ડોક્ટર માથુરે કપિલની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. શર્માએ ડિસ્ચાર્જના સમયે કપિલ દેવનો એક ફોટો ટ્વીટ કર્યો જેની સાથે તેમણે કેપ્શન આપ્યુ- ડોક્ટર અતુલ માથુરે કપિલ પાજીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તેમને હવે સારૂ છે અને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 


MI vs RR Match Preview: રાજસ્થાનની સામે મુંબઈ ઈન્ડિયન્સનો મજબૂત પડકાર, રોહિતના રમવા પર સસ્પેન્સ

કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને અન્ય જાણીતી હસ્તિઓએ તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી. ભારતને 1983મા પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનાવનાર કપિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના બીજા સૌથી સફળ બોલર છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર