નવી દિલ્હીઃ ભારતને કારગિલ યુદ્ધમાં મળેલી જીતના આજે (26 જુલાઈ) 23 વર્ષ થઈ ગયા છે. 23 વર્ષ પહેલા ભારતીય સેનાએ 60 દિવસથી વધુ ચાલેલા યુદ્ધમાં પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ જંગની અસર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પર પણ પડી હતી અને સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. પરંતુ શું તમે જાણો છો તે પાકિસ્તાન ક્રિકેટર વિશે જે કારગિલની લડાઈમાં ભારત પર હુમલો કરવાનો હતો. આવો તમને તે ખેલાડી વિશે માહિતી આપીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાકિસ્તાની ખેલાડી યુદ્ધ લડવા પહોંચ્યો હતો
કારગિલનું યુદ્ધ વર્ષ 1999માં મેથી જુલાઈ વચ્ચે થયું હતું. જેમાં ભારતે 26 જુલાઈએ પોતાના વિજયનો શંખનાદ કર્યો હતો. આ જંગ પર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ ખુબ નિવેદન આપ્યા હતા. તેમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું નામ સામેલ છે. તેણે આશરે બે વર્ષ પહેલા જ ખુલાસો કર્યો હતો કે તે બે વખત ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધ લડવા ગયો હતો પરંતુ તેને તક આપવામાં આવી નહીં. 


મોટો ઝટકો!, નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી થયા બહાર, ખાસ જાણો કારણ


કાશ્મીરમાં એક મિત્રને કર્યો ફોન
શોએબ અખ્તરે તે પણ ખુલાસો કર્યો કે તેણે કાશ્મીરમાં તેના એક મિત્રને ફોન કરી યુદ્ધ લડવા માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. તેણે કહ્યું- મેં કાશ્મીરના મિત્રને પણ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હથિયાર તૈયાર રાખે, હું આવી ગયો છું. મારી પત્નીએ હાથ જોડીને કહ્યું હતું કે રહેવા દો. પછી ભારતનો હુમલો થયો અને ખુબ નુકસાન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube