નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેના (Indian Air Force) માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. ફ્રાન્સથી ખરીદવામાં આવેલા પાંચેય રાફેલ લડાકૂ વિમાન જે વિશ્વના સૌથી આધુનિક લડાકૂ વિમાનોમાંથી એક છે તેને ઔપચારિક રૂપે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેને લઈને અંબાલા એરબેઝ પર રાફેલના ઇંડક્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્ટ પાર્લી પણ હાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આ વાત પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. ધોનીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યુ છે, 'જંગમાં ખુદને સાબિત કરી ચુકેલા વિશ્વના સર્વશ્રેષ્ઠ 4.5 જનરેશનના લડાકૂ વિમાનોને સામેલ થયાની સાથે તેને વિશ્વના સૌથી સારા ફાઇટર પાયલટ પણ મળી ગયા છે. આપણા કાબિલ પાયલટોના હાથ અને ભારતીય વાયુ સેનાના અલગ-અલગ વિમાનો વચ્ચે આ વિમાનની તાકાત વધુ વધશે.'


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર