નવી દિલ્હી : હાલમાં જ એક ટીવી શોમાં મહિલાઓ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને લઈને વિવાદમાં ફસાયેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને ઓપનિંગ બેટ્સમેન કે.એલ રાહુલની મુશ્કેલી વધી રહી છે. બીસીસીઆઈમાં નિયુક્ત CoAના પ્રમુખ વિનોદ રાયે આ બંને ખેલાડીઓ પર બે-બે વન-ડે મેચ પર બેન મુકવાની ભલામણ કરી છે. CoAના બીજા સદસ્ય ડાયના ઈડુલ્જીએ આ મામલાને બીસીસીઆઈના લીગલ સેલ પાસે મોકલ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દેખાયા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તેવી વાત કરી તેનાથી વિવાદ ઉભો થઈ ગયો હતો. આ કારણે બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને કારણદર્શક નોટિસ પાઠવી છે. આ નોટિસ મળ્યા બાદ બંન્ને ક્રિકેટરો સીઓએ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો છે. 


બંને ખેલાડીઓએ પોતાના જવાબમાં બોર્ડ અને પ્રશાસનિક સમિતિ (CoA) પાસે માફી માગી હતી. ખેલાડીઓના જવાબ પર પ્રતિક્રિયા આપતા વિનોદ રાયે કહ્યું, હું હાર્દિકના સ્પષ્ટીકરણ સાથે સહમત નથી અને મેં બંને ખેલાડીઓ પર બે મેચના પ્રતિબંધની ભલામણ કરી છે. જ્યારે ડાયના આ મામલે પોતાના તરફથી ગ્રીન સિગ્નલ આપશે, ત્યારે જ તેના પર અંતિમ નિર્ણય થઈ શકશે. ટીમ ઈન્ડિયાના શનિવારે ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડેની સીરીઝ રમવાની છે. આ બંને ખેલાડીઓ સીરીઝ માટે ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત છે.


મહત્વનું છે કે, હાલમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ગયા હતા. શો દરમિયાન હાર્દિક પંડ્યાએ એવી વાત કરી જેથી વિવાદ ઉભો થયો હતો. પંડ્યાની જ્યારે સોશિયલ મીડિયા પર ટિકા થઈ તો તેણે બુધવારે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સની માફી માંગી હતી. પંડ્યાએ લખ્યું, કોફી વિથ કરણમાં મારા નિવેદન પર ધ્યાન આપતા હું તે તમામની માફી માગુ છું, જેનું મેં કોઈપણ રીતે દુખ પહોંચાડ્યું છે. ઈમાનદારીથી કહું તો હું શોના અંદાજને જોતા વધુ ખુલી ગયો હતો. હું કોઈનું અપમાન કે કોઈને ભાવનાઓને દુખ પહોંચાડવા ઈચ્છતો નહોતો. 


India vs Australia : બદલાયો વનડે ટી20 સિરીઝનો કાર્યક્રમ, જાણો નવું શેડ્યુલ


શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે બંન્ને ખેલાડીઓની અંગત જિંદગી વિશે સવાલ કર્યા હતા. પંડ્યાએ આ દરમિયાન પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપીને ફેન્સને હેરાન કરી દીધા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તેના પરિવાર ખુલા વિચારોનો છે અને જ્યારે તેણે પ્રથમવાર યુવતીની સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે જઈને કહ્યું, આજે કરીને આવ્યો છું. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...