માઉન્ટ મોનગાનુઈઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ઈજાને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચમાં રમી રહ્યો નથી. તેને પગમાં નશો ખેંચાવાની ફરિયાદ હતી, આ કારણે તેના સ્થાને કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ બેટ્સમેન તરીકે ધોનીની ખોટ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 વર્ષ બાદ ઈજાને કારણે બહાર
ધોનીના કરિયરની વાત કરીએ તો બહુ ઓછી તક આવી છે જ્યારે ધોની ઈજા કે બિમારીને કારણે ટીમની બહાર થયો છે. ત્રીજી વનડે પહેલા આવી ઘટના 6 વર્ષ પહેલા 2013માં બની હતી. ત્યારે વેસ્ટઈન્ડિઝમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ત્રણ મેચોમાંતી બહાર થયો હતો. ત્યારે પણ તેને નશો ખેંચાવાની સમસ્યા હતા. આ પહેલા 2007માં ધોની આયર્લેન્ડ અને આફ્રિકા વિરુદ્ધ બે વનડે મેચોમાં બહાર થયો હતો. ત્યારે તેને તાવ આવ્યો હતો. 



SAvsPAK: ચોથી વનડેમાં પાકિસ્તાનનો 8 વિકેટે વિજય, પ્રથમવાર પિંક ડ્રેસમાં હાર્યું આફ્રિકા 


મહત્વનું છે કે, આ સમયે ધોની શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં તે મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેણે અણનમ 48 રન ફટકાર્યા હતા. 



ICC રેન્કિંગઃ 45 વર્ષમાં ટોપ પર પહોંચનાર પ્રથમ કેરેબિયન ઓલરાઉન્ડર બન્યો હોલ્ડર