મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં હવે રોમાંચ વધી રહ્યો છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં સળંગ પાંચમી વાર છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે કોઈ મેચ ગુમાવી હોય. અત્યાર સુધીમાં મુંબઈની ટીમ આ સીઝનમાં એક પણ મેચ જીતી શકી નથી.


પંજાબ કિંગે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી સંઘર્ષમય હાર આપી અને મોટા સ્કોરવાળી ગેમમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો. મેચમાં એકવાર તો એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચને સરળતાથી જીતી લેશે, પરંતુ સૂર્યકુમાર યાદવ આઉટ થતા જ આખી ગેમ પલટાઈ ગઈ અને મુંબઈના ફેન્સની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું હતું. સૂર્યકુમાર યાદવે પોતાની ઈનિંગમાં 30 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube