નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સીરીઝ પછી તરત જ ભારતીય ટીમ આફ્રિકન ટીમ સામે એટલી જ મેચોની વનડે સીરીઝ રમવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે વન ડે ટીમનો કેપ્ટન ઈજાના કારણે પહેલાથી જ ODI ટીમની બહાર હતો. તે પોતાની ઈજામાંથી બહાર આવી શક્યો નથી અને હવે તેને ODI ટીમમાંથી પણ બહાર થવું પડશે. પરંતુ આ તમામ સમાચારો વચ્ચે ટીમ ઈન્ડિયાને એક નવો કેપ્ટન પણ મળ્યો છે.


વિરાટ નહીં પણ આ ખેલાડી કેપ્ટન બન્યો
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્મા પહેલાથી જ આ ટીમની બહાર થઈ ચૂક્યો છે. રોહિતની ગેરહાજરીમાં વિરાટ કોહલીને નહીં પરંતુ કેએલ રાહુલને ODI ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રોહિત સ્નાયુઓ ખેંચાઈ જવાના કારણે ટીમમાંથી દૂર છે. હવે એવી આશા હતી કે તે વનડે શ્રેણીમાં પુનરાગમન કરશે પરંતુ તેમ થયું નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube