`રાજીવ ગાંધી ખેલ રત્ન`ની જાહેરાત, રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને મળશે આ એવોર્ડ
ભારતની સીમિત ઓવરની ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવશે.
નવી દિલ્હી: ભારતની સીમિત ઓવરની ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવશે. આ ખેલ પુરસ્કારના ઇતિહાસમાં પહેલીવાર હશે કે 5 લોકોને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે.
ખેલ એવોર્ડ-2020ની સમિતિએ શુક્રવારે રોહિત શર્મા, મહિલા પહેલવાન વિનેશ ફોગાટ (Vinesh Phogat), મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ (Rani Rampal), મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (Manika Batra) અને પૈરા એથલીટ મરિયપ્પન થેંગાવેલૂ (Mariappan Thangavelu) ને 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube