નવી દિલ્હીઃ ભારતીય ઓપનર શિખર ધવને મંગળવારે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા આગામી આઈસીસી વિશ્વકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમ ઘણી મજબૂત છે. એમએસકે પ્રસાદની આગેવાની વાળી પસંદગી સમિતિએ સોમવારે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી જેની આગેવાની વિરાટ કોહલી કરશે. રોહિત શર્માને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકે બીજા વિકેટકીપરના સ્થાનની દોડમાં રિષભ પંતને પછાડીને બાજી મારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવને અહીં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, વિશ્વ કપ માટે અમારી ટીમ ઘણી મજબૂત અને સારી છે. અમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છીએ. અમે ઈંગ્લેન્ડમાં સારૂ કરવાનો પ્રયત્ન કરીશું. 


World cup 2019: જાણો ટીમ ઈન્ડિયાની મજબૂતી અને નબળાઈ


દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં 8 મેચોમાંથી 5 જીતીને 10 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાન પર છે. ધવને કહ્યું કે, દિલ્હી ફ્રેન્ચાઇઝી નામ નવું છે, નવું મેનેજમેન્ટ અને નવો સ્પોર્ટ સ્ટાફ. તેણે કહ્યું કે, ટીમ ભારત અને અન્ય દેશોના ખેલાડીઓથી ઘણી સંતુલિત છે. 


શિખર ધવન અંગે વધુ સમાચાર