નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે જાહેરાત કરી કે ડેવિડ વોર્નરને આઈપીએલની આગામી મેચોમાં કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. 2021ની બાકી સીઝન માટે કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. સનરાઇઝર્સ તરફથી સત્તાવાર નિવેદન આપી કહેવામાં આવ્યુ કે, કેન વિલિયમસન હવે ટીમની કમાન સંભાળશે. મહત્વનું છે કે હૈદરાબાદ માટે આ સીઝન સારી રહી નથી. ટીમ છ મેચમાંથી એક મેચ જીતી શકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રેન્ચાઇઝીએ તે પણ સંકેત આવ્યો છે કે આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે અને ખેલાડીઓના વિદેશી સેટમાં ચોક્કસ ફેરફાર થશે. તેવામાં ડેવિડ વોર્નરે રાજસ્થાન સામેની મેચમાં બહાર બેસવુ પડી શકે છે. સનરાઇઝર્સે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, કેન વિલિયમસન કાલની મેચ માટે અને આઈપીએલની બાકી મેચો માટે ટીમની કમાન સંભાળશે. ટીમ મેનેજમેન્ટે તે પણ નિર્ણય લીધો છે કે રાજસ્થાન વિરુદ્ધ મેચમાં પોતાના વિદેશી ખેલાડીઓના સંયોજનમાં ફેરફાર થશે. 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube