નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટી20 સિરીઝ રમાશે. તે માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારતના પ્રવાસ પર ટી20 સિરીઝમાં સદુન શનાકા આગેવાની કરશે. ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે-સાથે યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં દિનેશ ચંડીમલ, ચરિથ અસલંકા અને કુસલ મેન્ડિસને પણ સામેલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની ટીમ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ભારતના પ્રવાસે આવશે. અહીં તે ટી20 અને ટેસ્ટ સિરીઝ રમશે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી મેચ ધર્મશાળામાં 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. ત્યારબાદ બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 4 માર્ચથી થશે. 


આ પણ વાંચોઃ અંડરટેકર અંગે આવ્યા મોટા NEWS, વાત જાણીને તમે પણ થઈ જશો ખુશ


મહત્વનું છે કે શ્રીલંકા પહેલાં ભારતે પોતાની ટીમ જાહેર કરી હતી. ભારતે રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, આવેશ ખાન, રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલ સહિત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube