મુંબઈઃ Supreme Court give Big Relief to BCCI:  બીસીસીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની રાહત બાદ હવે સૌરવ ગાંગુલી આગામી ત્રણ વર્ષ સુધી BCCIના અધ્યક્ષ બની શકે છે. આ સિવાય જય શાહ આગામી ત્રણ વર્ષ માટે BCCI સેક્રેટરી પણ રહેશે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે.


સુપ્રીમ કોર્ટે આપી બંધારણમાં ફેરફાર કરવાની મંજૂરી
સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બોર્ડના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈ સચિવ જય શાહને મોટી રાહત મળી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube