નવી દિલ્હીઃ ભારતના આગામી વિશ્વ કપ મિશનમાં ટીમ ઈન્ડિયામાં ક્યા ચહેરાને તક મળશે તેની સ્થિતિ સોમવારે બપોરે 3 કલાકે સ્પષ્ટ થઈ જશે. બીસીસીઆઈએ એક અખબારી યાદી જાહેર કરીને કહ્યું કે, બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ કરીને ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈની અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિ આ પત્રકાર પરિષદ પહેલા ટીમ પસંદગી માટે મુંબઈમાં બેઠક કરશે, જેમાં વિશ્વ કપમાં પસંદ થનારા ખેલાડીઓ પર ગહન વિચારણા થશે. આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત થશે અને આ ટૂર્નામેન્ટ 14 જુલાઈ સુધી ચાલશે. 


મહત્વપૂર્ણ છે કે આ મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભાગ લેશે નહીં. સામાન્ય રીતે ભારતીય ટીમના દરેક મોટા પ્રવાસ પહેલા ટીમ પસંદગી બાદ ભારતીય કેપ્ટન અને કોચ પત્રકાર પરિષદ કરે છે. વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના સ્વરૂપ પર વાત કરીએ તો ટીમમાં તો ટીમમાં ખેલાડીઓના નામ સિલેક્શન કમિટીની સાથે સાથે કેપ્ટન અને કોચની નજરમાં લગભગ સાફ છે. ટીમમાં એક-બે સ્થાનને લઈને ચર્ચા છે, જેની તસ્વીર 15 એપ્રિલે સાફ થઈ જશે. 


માનવામાં આવી રહ્યું છે કે, પસંદગી સમિતિને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર વિજય શંકરના નામ પર માથાકુટ કરવી પડી શકે છે. બાકી નામો લગભગ નક્કી છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી અનુસાર આ કોન્ફરન્સમાં ખેલાડીઓના નામની જાહેરાત દરમિયાન બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરી અને પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ પત્રકાર પરિષદને સંબોધિત કરશે. 


મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સિદ્ધિ, 200 ટી20 રમનારી પ્રથમ ટીમ બની 


મહત્વનું છે કે, આ વખતે વિશ્વ કપ રાઉન્ડ રોબિન રીતે રમાશે. એટલે કે, દરેક ટીમ બાકીની તમામ ટીમો વિરુદ્ધ મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ સાઉથહૈમ્પટનથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે, જ્યારે 9 જુલાઈએ ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ હેંડિગ્લેમાં પોતાનો અંતિમ (9મો મેચ) રાઉન્ડ રોબિન મેચ રમશે.