ધર્મશાળાઃ ભારત અને દક્ષિમ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ધર્મશાળા મેદાન પર દિવસભર વરસાદ ચાલું રહ્યો હતો. આખરે અમ્પાયરોએ સાંજે 5 કલાક સુધીની રાહ જોઈ જેથી 20-20 ઓવરની મેચ રમી શકાય. પરંતુ સાડા ચાર કલાક રાહ જોયા બાદ પણ વાદળો ન હટ્યા અને મેદાન પર કવરોથી ઢંકાયેલું હતું. અમ્પાયરોએ સ્થિતિનું નિરીક્ષણ કર્યાં બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર 2019માં જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી તો ટી20 સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાવાની હતી. વરસાદને કારણે આ મુકાબલો પણ ટોસ વગર રદ્દ થયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર