નવી દિલ્હીઃ વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટથી રન બની રહ્યાં નથી. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી તે સદી ફટકારી શક્યો નથી. તેવામાં હવે તેની ટીમમાં જગ્યાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ભારતીય ટી20 ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે વિરાટ કોહલીની જગ્યા લઈ શકે છે. આ ખેલાડીઓમાં બે પ્લેયર એવા છે જે સદી ફટકારી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે છેલ્લા કેટલાક વર્ષોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તે ટીમ માટે ઉપયોગી સાબિત થયો છે. તેની પાસે ગમે તે પિચ પર રન બનાવવાની ક્ષમતા છે. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. અય્યરે ભારત માટે 41 ટી20 મેચોમાં 903 રન બનાવ્યા છે. 


2. સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરની મહત્વની કડી બની ચુક્યો છે. તેણે હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં આક્રમક 117 રનની ઈનિંગ રમી બધાનું દિલ જીતી લીધુ હતું. તે જ્યારે પોતાની લયમાં હોય તો ગમે તે બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. સૂર્યકુમાર યાદવે ભારત માટે ટી20માં 4 અડધી સદી અને એક સદી ફટકારી છે. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના રેકોર્ડના માર્ગમાં રિકી પોન્ટિંગ છે 'દિવાલ', રોહિત શર્મા સહિત અનેકના રેકોર્ડને લાગી લઈ છે બ્રેક


3. દીપક હુડ્ડા
આઈપીએલ 2022 બાદ દીપક હુડ્ડાએ દર્શકોના દિલમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી છે. તેણે આયર્લેન્ડ સામે ટી20 મેચમાં સદી ફટકારી હતી. તે ત્રણ નંબર પર પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો છે. દીપક હુડ્ડા આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેવામાં તેની નજર પણ વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવવા પર હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube