Team India, Asia Cup 2022: એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાનો આ અનુભવી ખેલાડી  ફ્લોપ રહ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આ ખેલાડીને મોટી મેચ વિનર માનવામાં આવતો હતો. 2022 એશિયા કપ ટીમ ઈન્ડિયા માટે એક દુઃસ્વપ્ન સમાન હતો. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં 5  મેચ રમી જેમાંથી 3 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો..અને આ ટૂર્નામેન્ટમાં હાર પાછળ ઘણા બધા મોટા કારણઓ હતા. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર રહ્યો હતો ફ્લોપ. એશિયા કપ 2022માં ટીમને આ ખેલાડી પાસેથી હતી ઘણી આશાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયા કપ 2022માં માત્ર 4 જ વિકેટ ઝડપી
એશિયા કપ 2022માં યુઝવેન્દ્ર ચહલે 4 મેચ રમી હતી. અને આ મેચોમાં યુઝવેન્દ્ર ચહલે 7.93ની ઈકોનોમીથી રન ખર્ચ્યા અને માત્ર 4 વિકેટ પોતાના નામે કરી. આ ટૂર્નામેન્ટમાં યુઝવેન્દ્ર ચહલનું ફ્લોપ ટીમની હારનું મુખ્ય કારણ બન્યું.


આ પણ વાંચો:- ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો આ ધાકડ ઓલરાઉન્ડર, ઇરાદાપૂર્વક કરાયો ઇજાગ્રસ્ત!


મોટી મેચમાં આ ખેલાડી બન્યો ટીમની કમજોરી
ભારતના સ્ટાર સ્પીનર યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકા સામેની મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પણ આ પહેલા પાકિસ્તાન સામે રમાયેલી બંને મેચમાં યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો છે. વચ્ચે રમાયેલી બીજી મેચમાં તેણે 4 ઓવરમાં 10.75ની ઈકોનોમીથી 43 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લીધી. ચહલ  મોટી મેચોમાં ટીમ માટે નબળાઈ સાબિત થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube