નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)નું માનવુ છે કે ટી20 ક્રિકેટ (T20 Cricket) સારી સ્થિતિમાં છે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. પરંતુ એક ઓવરમાં બે બાઉન્સરની મંજૂરી આપી શકાય છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો છે અને સપાટ પિચો પર બોલરો પાસે કરવા માટે વધુ કંઈ હોતુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે પૂછવા પર કે શું બોલરો પરથી દબાવ ઓછો કરવા માટે નિયમોમાં ફેરફાર વ્યાજબી છે. ગાવસ્કરે યૂએઈ સેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ- ટી20 ક્રિકેટ ખુબ સારી સ્થિતિમાં છે અને ફેરફારની જરૂર નથી. તેમણે કહ્યું- 'આ બેટ્સમેનોને અનુરૂપ છે જેથી ફાસ્ટ બોલરોને દરેક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપી શકાય છે અને બાઉન્ડ્રી થોડી મોટી હોવી જોઈએ.'


'બાબા કા ઢાબા', દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને કહ્યું, 'દિલ્હીવાસીઓનું હૃદય વિશાળ છે'


તેમણે કહ્યું, પ્રથમ ત્રણ ઓવરમાં વિકેટ લેનાર બોલરને વધારાની એક ઓવર આપી શકાય પરંતુ આ ફોર્મેટમાં કોઈ ફેરફારની જરૂર મને લાગતી નથી.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર