નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો માટે આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા વનડે ટીમ માટે ઓપનિંગ બેટર શિખર ધવનનું વિજય હઝારેમાં ફોર્મ ચિંતાનો વિષય બની શકે છે. તો યુવા બેટર રુતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરની ટીમમાં જગ્યા પાકી માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે થશે વનડે ટીમની જાહેરાત
જાન્યુઆરી 2022માં રમાનાર ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિત શર્માને કેપ્ટન બનાવી લીધો છે. પરંતુ હજુ વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. 


કેટલા ખેલાડીઓને મળશે સ્થાન?
હવે તે જોવાનું છે કે ભારતીય સિલેક્શન કમિટી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર વનડે સિરીઝ માટે બાયો-બબલ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખતા કેટલા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપે છે. 


આખરે ટીમ ઈન્ડિયાને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ! આ ખેલાડીએ દૂર કરી રોહિત શર્માની ચિંતા!


વનડે ટીમમાં હશે વેંકટેશ
બીસીસીઆઈના સૂત્રએ કહ્યું- નવા ટીમ મેનેજમેન્ટે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની સલાહ આપીને સારૂ કામ કર્યુ છે. જો તે ઈજાગ્રસ્ત ન થાય તો આફ્રિકા સામે વનડે સિરીઝ માટે તેનું નામ હશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube