BCCI Domestic rules changed: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 11 ઓક્ટોબરથી શરૂ થનાર રણજી ટ્રોફી પહેલા ક્રિકેટની પ્લેઈંગ કંડીશનને લઈને અમુક ફેરફાર કર્યા છે, એટલે કે ક્રિકેટ રમતી વખતે હવે ખેલાડીઓને આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા ટ્રસ્ટને મળી ગયા રતન ટાટાના વારસદાર, 39 લાખ કરોડના ટ્રસ્ટના આ હશે નવા ચેરમેન


ભારતમાં નવી ઘરેલૂ સીઝન શુક્રવાર (11 ઓક્ટોબર) એ રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડની સાથે શરૂ થયો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કહેવું છે કે જો કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થયા વિના કોઈ કારણોસર રિટાયર થઈ જાય છે, તો તેણે તાત્કાલિક આઉટ માનવામાં આવશે. એટલે કે તે ખેલાડી ઈનિંગમાં બેટિંગ કરી શકશે નહીં, ભલે જ વિરોધી ટીમના કેપ્ટનને કોઈ પરેશાની ના હોય.


આ વિશે ગુરુવારે સાંજે રાજ્ય ટીમોને બીસીસીઆઈ તરફથી પ્રેસ રિલીઝ મોકલવામાં આવી. જેમાં બદલેલા નિયમો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી. શું શું ફેરફાર થયો, આવો આપણે જાણીએ.


બાંગ્લાદેશના પ્રસિદ્ધ મંદિરમાંથી કાલીમાતાના મુગટની ચોરી, PM મોદીએ ભેટમાં આપ્યો હતો


1- ઈજા, બિમારી અથવા તો અપરિહાર્ય કારણ સિવાય કોઈ પણ કારણોસર રિટાયર થશે તો બેટ્સમેનને તાત્કાલિક આઉટ માનવામાં આવશે અને વિરોધી કેપ્ટનની સહમતિથી પણ તે બેટ્સમેનને પાછો બોલાવવાનો વિકલ્પ નહીં મળે.
2- બોલિંગ દરમિયાન જો કોઈ ટીમે બોલ પર લાળ લગાવી છે, તો પેનલ્ટી લગાવ્યા સિવાય બોલને તાત્કાલિક બદલી નાંખવામાં આવશે.
3- બીસીસીઆઈએ રન રોકવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. નવા સંશોધિત નિયમ અનુસાર, જ્યારે બેટ્સમેન ક્રોસ કર્યા બાદ રન રોકવાનો નિર્ણય કરે છે અને ઓવરથ્રો થી બ્રાઉન્ડ્રી મળે છે, તો ફરીથી ક્રોસ કર્યા પહેલા માત્ર બાઉન્ડ્રી એટલે કે 4 સ્કોર દરમિયાન મારવામાં આવશે. BCCIએ કહ્યું છે કે આ ICC T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન થયેલા કરારને અનુરૂપ છે.
4- બીજો ફેરફાર સીકે ​​નાયડુ સ્પર્ધામાંથી પોઈન્ટની ફાળવણી સાથે સંબંધિત છે. નવા નિયમોમાં બે સંજોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


પૃથ્વી સાથે ટકરાયું 'શક્તિશાળી' સૌર તોફાન, બ્લેક આઉટનું જોખમ વધ્યું


પરિસ્થિતિ 1: ટીમ એ પહેલા બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં 98 ઓવરોમાં 398 રન પર ઓલ આઉટ થઈ જાય છે તો તેણે બેટ્સમેન અંક મળશે. જ્યારે ફીલ્ડિંગ કરતા સમયે ટીમ એ ને 5 પેનલ્ટી રન આપવામાં આવશે, જેના પરિણામસ્વરૂપ ટીમ એ નો સ્કોર હવે 98 ઓવરોમાં 403 થઈ જાય છે. ટીમ એ ને હવે 5 બેટ્સમેન અંક મળશે.


પરિસ્થિતિ 2: જ્યારે ટીમ એ પહેલા બેટિંગ કરે છે અને 100.1 ઓવરમાં 398 રન પર ઓલ આઉટ થઈ જાય છે તો તેણે 4 બેટ્સમેન પોઈન્ટ મળશે. જ્યારે ટીમ એ ને ફીલ્ડિંગ કરતા સમયે 5 પેનલ્ટી રન મળતા હતા, જેના પરિણામસ્વરૂપ ટીમ એ નો સ્કોર હવે 100.1 ઓવરમાં 403 થઈ જાય છે. તેણે 5મા બેટ્સમેન પોઈન્ટ નહીં મળે. 


પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતી


ક્યા ક્યાં લાગૂ થશે નિયમ
ક્રિકબજના હવાલાથી જે રિપોર્ટ સામે આવ્યો છે, તે મુજબ આ નિયમ બીસીસીઆઈના તમામ ઘરેલૂ મેચો માટે લાગૂ થશે. આ નવો નિયમ તમામ મલ્ટી ડે મેચો અને તમામ લિમિટેડ ઓવર્સની મેચો માટે પણ લાગૂ થશે. દિલસ્પર્શ વાત એ છે કે બીસીસીઆઈએ જણાવ્યું છે કે આ નિયમ સુપર ઓવરની સિચુએશનમાં પણ લાગૂ થઈ શકે છે.