નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (CaC) દ્વારા આ હાઈ પ્રોફાઇલ પદ પર એકવાર ફરીથી નિયુક્તિ કરાયા બાદ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. 57 વર્ષીય શાસ્ત્રી ટી-20 વિશ્વ કપ 2011 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે પોતાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું, 'હું તે માટે કોચ બન્યો કારણ કે મને આ ટીમ પર વિશ્વાસ હતો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રીએ કહ્યું, 'મને વિશ્વાસ હતો કે આ ટીમ ઈન્ડિયા એક એવો વારસો છોડી શકે છે, જે ખુબ ઓછી ટીમ છોડી શકી છે. આ એવો વારસો છે જેનો આવનારા દાયકામાં પણ ટીમ પીછો કરશે.' આ સિવાય ટીમ ઈન્ડિયાના બીજીવાર હેડ કોચ બનવા પર રવિ શાસ્ત્રીએ કપિલ દેવની સમિતિનો આભાર વ્યક્ત કર્યો છે. 


રવિ શાસ્ત્રીએ કહ્યું, 'હું સૌથી પહેલા કપિલ દેવ, શાંતા અને અશુંમાનનો મારા પર 26 મહિના સુધી અને વધુ કામ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આભાર માનુ છું. મારા માટે આ ટીમનો ભાગ બનવું સન્માનની વાત છે.' મહત્વનું છે કે શાસ્ત્રીનો નવો કાર્યકાળ ટી20 વિશ્વકપ 2021 સુધી ચાલશે. શાસ્ત્રીની સામે હવે ચાર પડકાર છે, જેનો પાર પાડવા પળશે. 


શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના