ODI World Cup 2023:  ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો ત્યારે અટકી ગયો જ્યારે તેમને કોઈપણ ભોગે જીતની જરૂર હતી. રવિવારે ઓસ્ટ્રેલિયા સાથેની ફાઈનલ મેચમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો હતો. ભારત સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું છે. ટાઈટલ મેચમાં ભારતીયોને મળેલી હારથી કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ જોયા બાદ મોટાભાગના લોકોએ કહ્યું કે કદાચ આજનો દિવસ ભારતનો દિવસ ન હોતો. તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 



મેચ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા લખ્યું કે સમગ્ર વિશ્વ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ જે પ્રતિભા અને સમર્પણ બતાવ્યું તે પ્રશંસનીય હતું. તેમણે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. આખો દેશ આજે તેમની સાથે છે અને આગળ પણ ઉભો રહેશે.