નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ પસાર કરનાર સિક્સર કિંગ યુવરાજ સિંહે સોમવારે નિવૃતીની જાહેરાત કરી હતી. તેના પર રમત ગમત પ્રધાને ટ્વીટમાં કહ્યું કે, ભારતને 22011માં વિશ્વકપ અપાવવામાં મહત્વનો ફાળો આપનાર યુવરાજ ઓલરાઉન્ડર ખેલાડી છે. તેના પર આપણે બધાને ગર્વ છે. તો ભારતીય ઓપનર રોહિત શર્માએ કહ્યું કે, યુવરાજ સારી વિદાયનો હકદાર હતો. 


રોહિતે ટ્વીટ કરીને કહ્યું, 'તમને ખ્યાલ નથી કે આ દરમિયાન તમે શું મેળવ્યું છે. લવ યૂ ભાઈ, તમે સારી વિદાયના હકદાર હતા.' રોહિતના ટ્વીટ પર યુવરાજે જવાબ આપ્યો. તેણે લખ્યું, 'તમને ખ્યાલ છે મને અંદરથી શું અનુભવાય રહ્યું છે! લવ યૂ ભાઈ, તમે એક લેજન્ડ બનો.'


બેમિસાલ યુવરાજ સિંહઃ 6,822 દિવસ, 14,064 બોલ, 11,788 રન અને 1,496 ચોગ્ગા-છગ્ગા