NASA's Moon mission : આપણા માટે બ્રહ્માંડની દુનિયા હંમેશાથી રહસ્યમયી રહી છે. પૃથ્વી બાદ પણ કોઈ ગ્રહ પર જીવન છે ખરું તે હજી માનવો શોધી શક્યા નથી. માણસો બ્ર્રહ્માંડના અનેક ગ્રહો પર પહોંચી ગયા છે, પરંતુ હજી પણ તેના રહસ્યો ઉકેલી શક્યા નથી. વૈજ્ઞાનિકો ચંદ્ર પર તો પહોંચી ગયા, પણ હજી પણ ચંદ્ર પર વસવાના ખ્વાબ જોઈ શક્યા નથી. આ માટે નાસાના વિજ્ઞાનીઓએ પૃથ્વી અને ચંદ્રના સમયના ફરકની ગણતરી શરૂ કરી છે. આ રીતે અવકાશયાત્રીઓની ચંદ્રયાત્રાની ગણતરીઓ સરળ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૃથ્વીની સરખામણીમાં ચંદ્ર પર કેટલી વધારે ઝડપથી સમય પસાર થાય છે તેની ગણતરી નાસાના વિજ્ઞાનીઓએ કરી નાંખી છે. નાસાના વિજ્ઞાનીઓએ કરેલી ગણતરી અનુસાર, ચંદ્ર પર પૃથ્વીની સરખામણીમાં 57.50 માઈક્રોસેકન્ડ વધારે ઝડપથી સમય પસાર થાય છે. 


21 જુલાઈ 1969 ના રોજ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે પહેલીવાર ચંદ્ર પર પગ મૂક્યો હતો. ત્યારે પૃથ્વીના સ્ટાન્ડર્ડ સમય અનુસાર વહેલી સવારના 2.56 કલાક વાગ્યા હતા. પરંતુ નીલની ઘડિયાળમાં ચંદ્ર પર શું સમય હતો તે હજી સુધી જાણી શકાયુ નથી. ત્યારે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતા ભૌતિક શાસ્ત્રીઓની ટીમે ચંદ્રના સમયની ગણતરી શોધી કાઢી છે. 


ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો


આ ટીમ દ્વારા એઆરએક્સફોર પ્રિપ્રિન્ટ સર્વર મૂકવામાં આવ્યું હતું. પૃથ્વી પર જેમ યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ યુટીસી છે, તેમ હવે ચંદ્ર પર એલટીસી નક્કી કરાશે. 


ચંદ્ર પર ભવિષ્યમાં થનારી માનવ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચંદ્રનો સમય એક મહત્વનુ પરિબળ છે. ચંદ્રનો સમય નક્કી થાય તો લેન્ડર, રોવર અને ઓર્બિટરના તમામ એકમો વચ્ચે સંકલન સાધવામાં સરળતા રહે. જેથી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સંકલન પણ યોગ્ય રીતે કરી શકાય. 


ચંદ્ર પર નાસા, ચીન, ભારત, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના યાન મોકલીને સંશોધન કરી રહ્યા છે. આવામાં ચંદ્ર પરના સમયની સચોટ માહિતી હોવી જરૂરી છે, તો જ આગળનું સંશોધન થઈ શકશે તેવુ વિજ્ઞાનીઓ સમજી ગયા છે. 


અંબાણી લગ્નની અંદર કી બાત! મહેમાનો વચ્ચે ઘટી હતી આ 9 ઘટનાઓ, અંદરના સ્ટાફે ભાંડો ફોડ્