Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો

Teacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો

Gujarat Government : રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કરાયું હતું, જેનો સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે બદલીના નિયમો અંગે ટ્વીટર કર્યું છે. 

શિક્ષણ મંત્રીએ ટ્વિટમાં કહ્યું કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ.. માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.

 

માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.

રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.… pic.twitter.com/xC46LcIW3o

— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024

 

HTAT મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત

રાજય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર ક૨વામાં આવે છે.

• શિક્ષણ વિભાગના તા.૨૨/૦૬/૨૦૧૧ ના ઠરાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી ક૨વામાં આવેલ.
• આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ વિભાગના તા:- ૧૫/૦૩/૨૦૨૧ ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહે૨ ક૨વામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિધ્ધાતો લાગુ પાડવા જોઇએ નહી.
• આ બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકારશ્રી આજ રોજ HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે .

(૧) મહેકમ ગણવાની પધ્ધતિ
• બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
• ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
• બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(૨) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.
(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે. ૫૦ % જગ્યાઓ અગ્રતાથી અને ૫૦ % શ્રેયાનતાથી ભ૨વાની ૨હેશે.
(૪) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.
(૫) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.
(૬) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ૫૨ સમાવવામાં આવશે.
(૭) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

• બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
• આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news