રાષ્ટ્રપતિએ નવા વર્ષ પર દેશભરના 60 જેટલા પોતાના ક્ષેત્ર ના જાણકાર લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરી તેમની પોતાના ક્ષેત્ર ની કામગીરી ને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય છે તેની ચર્ચા કરી તો ગુજરાત થી પણ 4 લોકો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ગુજરાતથી કચ્છના પૌરાણિક હસ્તકલા ના જાણકાર ડૉ ઇસ્માઇલ ખત્રી, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પોલ, વંચિતોના ઉદ્ધારક મિત્તલ પટેલ અને સ્માર્ટ વિલેજ ના સર્જક હિમાંશુ પટેલ ની કામગીરી ને બિદરાવી તેમની સાથે ચર્ચા કરી.. તેમને રાષ્ટ્રપતિ સાથે ની મુલાકાત બાદ ઝી 24 કલાક સાથે વાતચીત કરી જુઓ રિપોર્ટ..