કોરોનાનાં કહેરથી લડવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી ફસાયેલા ભારતીયો અને ગુજરાતીઓને એરલીફ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય કમિશ્નર ડો. જયંતી રવિએ કહ્યું હતું કે, ગુજરાતમાં સાવચેતીનાં ભાગરૂપે એરપોર્ટ ખાતે મુસાફરોનો સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જીલ્લાઓમાં અલગ અઈસોલેશન વોર્ડની સાથે તબીબી ટીમો પણ તેનાત કરવામાં આવી છે.