આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે. આ પરિસ્થિતિમાં 50 હજાર ગુજરાતીઓ ફસાઈ ગયા હોવાની માહિતી મળી છે.