વર્ષ 2018 સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવાના કેસમાં ગુજરાત હાઈર્કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ કેસમાં અગાઉ આરોપી અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જેને હાઈકોર્ટે આ સજાને બરકરાર રાખી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેને માટે આ ચુકાદો ઉદાહરણ સમાન પુરવાર થશે.